Wednesday, 24 July 2024

ચાંદીપુરા વાયરસની બાળકોને વિગતે માહિતી આપી

     આજ રોજ તારીખ 24-7-2024ને બુધવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠીના બાળકોને ચાંદીપુરા વાયરસની વિગતે સમજ આપવામાં આવી. ચાંદીપુરા વાયરસના લક્ષણો, તેના માટે રાખવી પડતી સાવચેતી તેની તમામ માહિતી શાળાના સ્ટાફ તથા આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મી શ્રી દિનેશભાઇ દ્વારા આપવામાં આવી. ટીવીમાં તેના વિડીયો પણ બતાવવામાં આવ્યા. પોતાના ઘરે અને આસપાસના વિસ્તારમાં ખાસ માટીની દીવાલમાં પડેલી તિરાડો પુરી દેવી તથા સ્વચ્છતા રાખવા બાબતે ખાસ સૂચના આપવામાં આવ્યો.

No comments:

Post a Comment