મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું
દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. આજે ઢાઠી પ્રાથમિક શાળામાં સ્ટાફ અને બાળકો દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. ખોખામાંથી ચકલીનો માળો બનાવવામાં આવ્યો, સાથે સાથે ચકલી માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી નટવરલાલ તથા આ.શિ. શ્રી ભરતભાઇ અને બાળકોએ બપોરની વિશેષ દરમિયાન આ પ્રવૃત્તિ કરી .આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણની સમજ આપવામાં આવી.
No comments:
Post a Comment