Wednesday 14 April 2021

પક્ષી પરબ

      આજ રોજ તા : 15 /4/2021 ને ગુરુવારના રોજ પ્રા.શા.ઢાઠીના પટાંગણમાં પક્ષીઓને પાણી પીવા માટે પક્ષી પરબ પાત્ર લગાવવામાં આવ્યા.જેઠોલીના સેવાભાવી ડો.અજયભાઈ પટેલ તરફથી પ્રા.શા.ઢાઠીને 10 પક્ષી પરબ પાત્ર દાન કરવામાં આવ્યા હતા.ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસોને પાણી માટે સમસ્યા થઈ રહી હોય ત્યાં આવા મૂંગા પક્ષીઓનો વિચાર કરી પાણી માટે પક્ષી પરબ શાળાને આપવા બદલ ડો.અજયભાઈનો શાળા પરિવાર અને એસ.એમ.સી.ઢાઠી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.


No comments:

Post a Comment