આજ રોજ તા : 15 /4/2021 ને ગુરુવારના રોજ પ્રા.શા.ઢાઠીના પટાંગણમાં પક્ષીઓને પાણી પીવા માટે પક્ષી પરબ પાત્ર લગાવવામાં આવ્યા.જેઠોલીના સેવાભાવી ડો.અજયભાઈ પટેલ તરફથી પ્રા.શા.ઢાઠીને 10 પક્ષી પરબ પાત્ર દાન કરવામાં આવ્યા હતા.ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસોને પાણી માટે સમસ્યા થઈ રહી હોય ત્યાં આવા મૂંગા પક્ષીઓનો વિચાર કરી પાણી માટે પક્ષી પરબ શાળાને આપવા બદલ ડો.અજયભાઈનો શાળા પરિવાર અને એસ.એમ.સી.ઢાઠી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
Wednesday 14 April 2021
Thursday 8 April 2021
શાળામાં ફર્નિચરનું કામ
શાળામાં 2021 ના નાણાંકીય વર્ષમાં શાળા વિકાસ ગ્રાન્ટમાંથી બંને વર્ગના રૂમમાં કબાટ બનાવવામાં આવ્યા.આ કબાટ ની ઘણા સમયથી જરૂરિયાત હતી.શાળાની સ્ટેશનરી તથા ઘણી એવી વસ્તુઓ કે જે મુકવા માટે તેને સાચવી રાખવા કબાટની જરૂરિયાત હતી.આખરે આ ઈચ્છા પૂરી થઈ.
Subscribe to:
Posts (Atom)