Saturday 14 April 2018

Dr.Aambedakar jayanti ni ujavani

    આજ રોજ તા:14/4/18 ને શનિવારના રોજ અમારી શાળામાં ડૉ. આંબેડકરના જન્મદિનની ઉજવણી કરવામાં આવી.આ દિવસે ડૉ. આંબેડકરના ફોટા ઉપર ફૂલો અર્પણ કરી ને આ કાર્યક્રમ ની શરૂઆત કરવામા આવી. આ દિવસે શાળાનાં બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો.શાળાના આચાર્યશ્રી દ્રારા આંબેડકરના જીવનના પ્રસંગો વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.    ગ્રામજનો,શિક્ષકગણ,SMC સભ્યો ભેગા મળીને ચર્ચા કરવામાં આવી.


Wednesday 4 April 2018

પક્ષી પરબ

  ઉનાળાના આગમનની સાથે સાથે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઇ.આવી ગરમીમાં માનવ,પશુ,પક્ષીઓ સૌને પાણીની તકલીફ પડવાની. આપને સૌ માનવવર્ગ તો આપડી તકલીફનું સમાધાન કરી દઈએ પણ અબોલા પક્ષીઓની સ્થિતિ  કાંઇ જુદી જ હોય છે.એક બાજુ આપડે પાણી બચાવો અભિયાન અંતર્ગત પાણી વેસ્ટ જવા દેતા નથી એટલે કોઈ પણ જગ્યાએ આવા વેસ્ટ પાણીનો સ્ત્રાવ પક્ષીઓને મળવો મુશ્કેલ હોઇ આપડે સૌ પક્ષીઓ પ્રત્યે દયાભાવ રાખી પોતાના ઘરે કે કોઈ રહેઠાણની જગ્યાએ આવા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરીશું તો એ આપણા માટે પુણ્યનું કામ થશે અને પક્ષીઓનો જીવ બચશે.તો મહેરબાની કરીને અમારી પ્રા.શાળા.ઢાઠીની તમે પણ પક્ષીઓ માટે કઇક આવુ આયોજન કરો એવી વિનંતિ.