Friday 29 September 2017

Navratri Mahotsav Dhathi



ચૈત્રીનવરાત્રી, અષાઢ નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને ચાર નવરાત્રીમાં સૌથી મોટી ગણાતી નવરાત્રી એટલે આસો માસની નવરાત્રી. નવદુર્ગાની આરાધનાનુ પર્વ નવરાત્રીનો આસો સુદ એકમથી પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રીમાં માતાજીના મંદિરોને રોશનીથી શણગારવામાં આવે છે. માતાજીના ચોકમાં નવ નવ રાત સુધી ગરબા રમવામાં આવે છે. યુવાનોમાં રાસ ગરબાનું ઘેલુ હોવાથી અવનવી સ્ટાઇલોમાં ડીજે અને સાઉન્ડના સથવારે મનને મોર બનાવી થનગનાટ કરતા નજરે ચડશે. ચણીયા ચોળી,કેડીયુ, ભરવાડી ચણીયા ચોળી, કચ્છી ચણીયા ચોળી અને યુવાનોમાં સૌથી ફેવરીટ રામ લીલા ચણીયા ચોળી પહેરીને ગરબે ગુમતા ગુમતા માંની આરાધના કરશે. તો આવો આપણે નવદુર્ગાની આરાધના કરીએ.પ્રા.શાળા ઢાઠી પરિવાર તરફથી તમામને નવરાત્રિની શુભેચ્છાઓ સહ............જય માતાજી ,જય અંબે.....
         


1 comment: