ઢાઠી પ્રાથમિક શાળા (બાલાસિનોર)
Wednesday, 10 September 2025
શાળા આરોગ્ય તપાસણી
આજ રોજ તા :- 10/9/25ને બુધવારના રોજ RBSK TEAM NO 127 દ્વારા અત્રેની ઢાઠી પ્રા.શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી.શાળાના તમામ બાળકોની ચકાસણી RBSK ની ટીમના જ્યોતિબેન અને ઇસ્તીયાકભાઈ દ્વારા કરવામાં આવી.ટીમ તરફથી આરોગ્ય જાળવણી અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.ધો -1 ના બાળક ઉમેશભાઈ પરમાર નું સંદર્ભ કાર્ડ ભરી ગોધરા હોસ્પિટલમાં જવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
Thursday, 21 August 2025
શ્રાવણ માસનું ત્રીજું તિથિભોજન
આજ રોજ તા :-21/08/25 ને ગુરુવારના રોજ ઢાઠી ગામના યુવાન શ્રી રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.દાળ,ભાત,રમકડાં,
ભજીયા અને બુંદીનું તિથિભોજન આપવા બદલ SMC ઢાઠી અને શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે.
Tuesday, 19 August 2025
શ્રાવણ માસનું બીજું તિથિભોજન
આજ રોજ તા :-19/08/25 ને મંગળવારના રોજ ઢાઠી ગામના યુવાન શ્રી રમણભાઈ જશુભાઈ પરમાર તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.દાળ,ભાત,રમકડાં,અને લાડુનું તિથિભોજન આપવા બદલ SMC ઢાઠી અને શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે.
Sunday, 17 August 2025
શ્રાવણ માસનું પ્રથમ તિથિ ભોજન
આજ રોજ તા :-18/08/25 ને સોમવારના રોજ ઢાઠી ગામના યુવાન અને SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ પુનાભાઈ સોલંકી તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.દાળ,ભાત,રમકડાં,ભજીયા અને મુંદીનું તિથિભોજન આપવા બદલ SMC ઢાઠી અને શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે.
Tuesday, 12 August 2025
ભીમ ભમરડા મંદિરની મુલાકાત
આજ રોજ તા :- 12/8/25 ને મંગળવારના રોજ ઢાઠી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ ભીમ ભમરડા મહાદેવ મંદિર બાલાસિનોર ખાતે પર્યટનમાં ગયા.બાળકોએ આ પર્યટનમાં ખૂબ મજા કરી.જુદી જુદી રાઈડમાં બેસી આનંદ ઉલ્લાસ કર્યો. બાળકો આ પવિત્ર શ્રાવણ માસમાં પર્યટનની મજા માણી શકે તે માટેનો તમામ ખર્ચ શાળાના આચાર્ય શ્રી નટવરલાલ તથા આ.શિ. ભરતભાઇએ ઉઠાવ્યો હતો.સાથે સાથે મહાકાળી નર્સરી સરવરીયા ખાતે મુલાકાત કરાવી અવનવા ફૂલછોડ અને પ્લાન્ટની માહિતી બાળકોને આપી હતી.
પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવાય અને ફુલછોડની માહિતી મળે તે હેતુથી મુલાકાત ગોઠવાઈ હતી.
Friday, 8 August 2025
રક્ષાબંધનની ઉજવણી
આજ રોજ તા :- 8/8/25 ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠીમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. અમારી પ્રાથમિક શાળાની બાલિકાઓએ ભાઈઓને કુમકુમ તિલક કરી,મોં મીઠું કરાવી અને રાખડી બાંધી.ભાઈ બહેનના આ પવિત્ર તહેવાર વિશે શાળાના આચાર્ય શ્રી નટવરભાઈ તથા આ. શિક્ષક ભરતભાઈએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવી, રક્ષાબંધનની વાર્તા કહી.બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો.
Subscribe to:
Comments (Atom)