તા -5/9/2021ના રોજ અત્રેની પ્રા.શા.ઢાઠીના શિક્ષકશ્રી ભરતભાઇ કે.વાળંદને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.આ પ્રસંગે તાલુકા શિક્ષકસંઘના પ્રમુખશ્રી જશવંતસિંહ ,સી.આર.સી.શ્રી બળવંતસિંહ સાહેબ ,શાળાના આચાર્ય બેનશ્રી હસુમતીબેન અને એસ.એમ.સી.અધ્યક્ષ કૈલાશબેન તથા દૂધ ડેરી સેક્રેટરી મહેશભાઈ અને ગામમાંથી એસ.એમ.સી.સભ્યો,વડીલ અને યુવામિત્રો હાજર રહ્યા.શિક્ષકસંઘ પ્રમુખ,સી.આર.સી.સાહેબ અને આચાર્ય બેનશ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્ધબોધન કરવામાં આવ્યું.શિક્ષકશ્રી ભરતભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો.